શાળા સિદ્ધિ કાર્યક્રમ અંતર્ગત સ્વ-મૂલ્યાંકન અને બાહ્ય મૂલ્યાંકન કરવા બાબત.

વિષય: શાળા સિદ્ધિ કાર્યક્રમ અંતર્ગત સ્વ-મૂલ્યાંકન અને બાહ્ય મૂલ્યાંકન કરવા બાબત.
ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે રાજ્યની ૩૨૯૪૦ સરકારી પ્રાથમિક શાળાઓમાં તથા ૧૮૬૫ માધ્યમિક શાળાઓમાં NIEPA નવી દિલ્હીની ગાઈડલાઈન મુજબ PAB ૨૦૨૨-૨૩માં “શાળા સિદ્ધિ” કાર્યક્રમ અમલીકૃત થયેલ છે. “શાળા સિદ્ધિ” કાર્યક્રમ અંતર્ગત ૧૦૦% શાળાઓમાં સ્વ-મૂલ્યાંકન તેમજ સ્વ-મૂલ્યાંકન થયેલ શાળાઓ પૈકીની ત્રીજા (૧/૩) ભાગની શાળાઓમાં બાહ્ય મૂલ્યાંકનની પ્રક્રિયા કરવામાં આવે છે.
ચાલુ શૈક્ષણિક વર્ષ: ૨૦૨૨-૨૩ માટે પણ શાળાઓમાં મૂલ્યાંકન કરવામાં આવનાર છે. જે અંગે ચાલુ વર્ષે ૩૨૯૪૦ પ્રાથમિક શાળાઓમાં તથા ૧૮૬૫ માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક વર્ષ: ૨૦૨૨-૨૩ નું સ્વ-મૂલ્યાંકન અને શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ વર્ષની સ્વ-મૂલ્યાંકન થયેલ પૈકીની ૧૬૯૯ માધ્યમિક શાળાઓમાં બાહ્ય મૂલ્યાંકનની કામગીરી કરવાની થાય છે. -શૈક્ષણિક વર્ષ:૨૦૨૨-૨૩: સ્વ-મૂલ્યાંકન (પ્રાથમિક અને માધ્યમિક શાળા) રાજ્યની ૩૨૯૪૦ સરકારી પ્રાથમિક શાળાઓમાં તથા ૧૮૬૫ માધ્યમિક શાળાઓમાં શાળા સિદ્ધિ કાર્યક્રમ અમલીકૃત થયેલ છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩માં આ શાળાઓમાં NEPA નવી દિલ્હીનીગાઈડલાઈન મુજબ “શાળા સિદ્ધિ કાર્યક્રમ અંતર્ગત સ્વ-મૂલ્યાંકનની કામગીરી કરવાની થાય છે. (શાળાઓની યાદી આ સાથે સામેલ છે) શૈક્ષણિક વર્ષ:૨૦૨૧-૨૨ : બાહ્ય મૂલ્યાંકન (૧૬૯૯ માધ્યમિક શાળાઓમાં) શાળા સિદ્ધિ કાર્યક્રમ અંતર્ગત શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન થયેલ સ્વ-મૂલ્યાંકન પૈકીની ૧૬૯૯ શાળાઓમાંથી ૨૦૨૧-૨૨ વર્ષનું બાહ્ય મૂલ્યાંકન કામગીરી કરવાની થાય છે. જિલ્લાએ માર્ગદર્શિકા અનુસાર ટીમ બનાવી માર્ગદર્શિકા અને વેબસાઇટ પર આપેલ ગાઈડલાઈન અનુસાર ૧૬૯૯ માધ્યમિક
શાળાઓમાં બાહ્ય મૂલ્યાંકનની કામગીરી કરવાની રહેશે,
આ કાર્યક્રમ અંતર્ગત ફાળવવામાં આવેલ ગ્રાન્ટની વિગત, શાળાઓની યાદી તેમજ -મૂલ્યાંકન અને બાહ્ય-મૂલ્યાંકનની માર્ગદર્શિકા આ સાથે સામેલ છે.વધુમાં આ કામગીરી અંગેની માર્ગદર્શિકા આ સાથે મોકલી આપવામાં આવે છે. 

Important Link 

શાળા સિધ્ધિ માટે ગુજરાતીમાં સમજ આપતો વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો


Leave a Comment